પિતૃપક્ષમાં લગાવો આ છોડ, તમને મળશે પિતૃઓના આશીર્વાદ, છલકાઈ જશે બેંક ખાતુ!

Tue, 19 Sep 2023-3:27 pm,

પિતૃપક્ષ દરમિયાન વટવૃક્ષની પૂજા કરવી અને વડનું વૃક્ષ વાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને ભગવાન શિવ પણ તમારા પર કૃપા વરસાવે છે. પરંતુ ધ્યાન રાખો કે ઘરમાં વડનું ઝાડ ન હોવું જોઈએ.

પીપળના વૃક્ષમાં ત્રિમૂર્તિનો નિવાસ માનવામાં આવે છે. પીપળના વૃક્ષની પૂજા કરવાથી, પરિક્રમા કરવાથી, પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી કુંડળીમાં શનિ દોષ, પિતૃ દોષ સહિત અનેક ગ્રહ દોષ દૂર થાય છે. તેની સાથે જ વ્યક્તિને પુષ્કળ ધન, સંપત્તિ અને સફળતા મળે છે. ઘરમાં પીપળનું ઝાડ ન લગાવો. તેના બદલે તેને મંદિર કે સાર્વજનિક જગ્યાએ લગાવો.

ઘરમાં તુલસીનો છોડ રાખવાથી સકારાત્મકતા આવે છે. પિતૃપક્ષ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને ધાન્યની ક્યારેય કમી નથી રહેતી.

માતા સીતાએ લંકામાં અશોક વૃક્ષ નીચે આશ્રય લીધો હતો અને ભગવાન રામની રાહ જોઈ હતી. જો તમે પિતૃ દોષથી પરેશાન છો તો પિતૃ પક્ષ દરમિયાન તમારા ઘરમાં અશોકનું વૃક્ષ વાવો. તમારા દિવસો બદલાશે.

ભગવાન શિવને પ્રિય એવા બેલપત્રનો છોડ ઘરમાં લગાવવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. જો પિતૃપક્ષ દરમિયાન ઘરમાં બેલપત્રનો છોડ લગાવવામાં આવે તો તેનાથી પિતૃઓની આત્માઓ સંતુષ્ટ થાય છે અને તેઓ ઘણા આશીર્વાદ આપે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link